ચોમાસામાં હાલની પરિસ્થિતિ જોતાં રોગચાળો ફેલાયો હોય તેમ જણાય છે. જ્યાં જુવો ત્યાં તાવના વધારે દર્દીઓ જોવા મળે છે..તો અમે શાળાના બાળકો ને સ્વાઇન ફ્લૂ વિશે માર્ગદર્શન આપવાનુ વિચાર્યુ અને ઉકાળો તૈયાર કરીને ઉકાળાનું વિતરણ કરવાનું વિચાર્યુ
માર્ગદર્શન આપવામાં આવ્યુ॰
ગળો, તુલશી, અરડૂસિ ,હળદર,લવિંગ,તજ નું ચૂર્ણ લેવામાં આવ્યું
તુલસી ના પાન,અરડૂસી ના પાન લઈ ધોવામાં આવ્યા
તેને ઉકાળીને ઉકાળો બનાવી ગાળી પ્યાલા મારફતે સહુ ને વહેચવામાં આવ્યો
બચવાના ઉપાયો સમજાવ્યા
વારવાર હાથ ધોવાંની સમજ આપી